નવલખા ટેમ્પલ ઘુમલી - બરડા ડુંગર Navlakha Temple Ghumali


Navlakha Temple - Ghumali

Video Click here
 







                ઘુમલીનું નવલખા મંદિર જેઠવા શાસકો દ્વારા ૧૧મી સદીમાં સૂર્ય દેવને સમર્પિત બનાવવામાં આવ્યું હતું અને તે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે. તે ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો ધરાવે છે, જે ૪૫.૭૨ x ૩૦.૪૮ મીટર છે. પૂર્વ દિશામાં તેની નજીક એક સુંદર પ્રવેશ કમાન અથવા કીર્તિ તોરણ હતું, જે હવે નષ્ટ પામ્યું છે. ગર્ભગૃહ આવૃત્ત પ્રદક્ષીણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ અને ત્રણ શૃંગાર ચોકીઓ ધરાવે છે. આજુબાજુ ચાલવાના માર્ગ પર ત્રણ ઝરુખાઓ જોવા મળે છે. મંડપને આધાર ૮ બાજુઓ વાળા સ્તંભો વડે મળે છે. નાનાં ખૂણાઓમાં શિલ્પો આવેલા છે. પ્રવેશદ્વાર બે માળનો છે. મંદિરની પાછળની બાજુએ સૂંઢ વડે યુદ્ધ કરતાં બે વિશાળ હાથીઓના શિલ્પો આવેલા છે. ભદ્ર ગવક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, પશ્ચિમમાં શિવ-પાર્વતી અને ઉત્તરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિઓ આવેલી છે .
નવલખા મંદિર નવ લાખના ખર્ચે બાંધવામાં આવ્યું તેથી તેનું નામ નવલખા પડ્યું છે. તે તેના સ્થાપત્ય અને આંતરિક શિલ્પોમાં સોમનાથ મંડ અને મોઢેરાના સૂર્ય મંદિરની બરોબરી કરે છે.[ આ મંદિર મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલીમાં (અથવા સોલંકી શૈલી) બાંધવામાં આવ્યું છે. જે હાથીઓના એક બીજામાં ઘૂસેલા ત્રણ દાંતના શિલ્પ પરથી જણાય છે અને તેને સોલંકી શૈલીના સ્થાપત્યનો ઉચ્ચ મધ્યાહ્ન માનવામાં આવે છે.
મુખ્ય મંદિરની બહાર એક ગણેશ મંદિર છે, જે ઘુમલી ગણેશ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર ૧૦મી સદીમાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.[૯]
મંદિરનો નાશ ૧૩૧૩માં જાડેજા જામ બારમાનીયાજી દ્વારા તેમના પિતા જાડેજા જામ ઊણાજીની હારનો બદલો (જે ૧૩૦૯માં જેઠવા શાસક રાણ ભાણજી વડે પરાજિત થયા હતા) લેવા ઘુમલી પર કરવામાં આવેલા આક્રમણ દરમિયાન કરવામાં આવ્યો હતો.