GCERT RESOURCE BANK


Sr. No.

Detail

1

HTAT MODULES

2

D.El.Ed. CURRICULUM BOOKLET/D.El.Ed. INTERNSHIP MODULES

3

D.El.Ed. MODULES

4

LEARNING OUTCOMES BOOKLET STD.1 to 8

5

રાષ્‍ટ્રીય અભ્‍યાસક્રમની રૂપરેખા – NCF 2005

6

શિક્ષક પ્રશિક્ષણ માટે રાષ્‍ટ્રસ્તરીય અભ્યાસક્રમનું માળખું NCF-TE

7

RTE-2009

8

Teachers as Transformers

9

DIET Guideline

10

સ્વ-અધ્યયનપોથી

11

સમજપત્ર

12

Education Innovation

13

Standard 1-2 Teacher Edition

14

સંશોધન

15

શિક્ષક આવૃત્તિ

16

ગુણોત્સવ - ૭ પ્રશ્નપત્રો, જવાબચાવી અને લર્નિગ આઉટકમ

17

લર્નિગ આઉટકમ પોસ્ટર્સ

18

ભણ્યા વગરનું ભણતર

19

D.El.Ed. Multimedia Book

20

National Advisory Committee Report

21

હું બનું વિશ્વમાનવી

22

"SETU" - Head Teacher Training Program

23

ધોરણ – 10 મોડ્યુલ 2019

24

સામયિક કસોટીઓ

25

Bhashadeep

26

પરિવાર નો માળો સલામત અને હૂંફાળો

27

NISHTHA

28

પરિવારનો માળો -ર.૦

29

ઘરે શીખીએ

30

NMMS પૂર્વતૈયારી

31

Diploma in Pre School Education Module

32

મનોદર્પણ – માર્ગદર્શિકા

33

નિપુણ ભારત

34

Celebrating 135 Years of Gijubhai Badheka

35

રાજ્યકક્ષાની રિસર્ચ પેપર કોન્ફરન્સ

36

તા.1/4/2023 સામયિક મૂલ્યાંકન પ્રશ્નબૅંક

37

કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરા માટેના પ્રશ્નપત્રો

38

નમૂનાની પ્રશ્નબૅંક

39

DLI4 તાલીમ મૉડયુલ

40

દિન વિશેષ સાહિત્ય

41

જાદુઇ પીટારા

42

બાલવૃંદની સમજ

43

List of Online Courses for classes XI & XII offered by NCERT from April 2021 on SWAYAM Portal

44

SOE Principal તાલીમ અહેવાલ

45

ઇનોવેશન ફેર

46

NDL (National Digital Library)

47

બાળવૈજ્ઞાનિક પ્રદર્શન – 2023-24 માર્ગદર્શિકા

48

રાજ્ય સાક્ષરતા કેન્દ્ર (SCL)

49

પરીક્ષા પે ચર્ચા – ૨૦૨૪

પાઠ્યપુસ્તક

 

 | 
Education Department - Government Of Gujarat
Standard: 1 to 8 (Primary & Upper Primary)


GUJARATI
Medium
ENGLISH
Medium
HINDI/OTHER
Medium
Std. 1Std. 1Std. 1
Std. 2Std. 2Std. 2
Std. 3Std. 3Std. 3
Std. 4Std. 4Std. 4
Std. 5Std. 5Std. 5
Std. 6Std. 6Std. 6
Std. 7Std. 7Std. 7
Std. 8Std. 8Std. 8

-----> પાઠ્યપુસ્તક ઓન-લાઈન વાંચવા અને મેળવવા માટે ધોરણ પર ક્લિક કરો.  <-----
Copyright © 2020 GSBSTB. All rights reserved.                                                         IT@GSBSTB

વિજ્ઞાન ટેકનોલોજી

સત્ર-2 વિજ્ઞાન સજ્જતા ધોરણ 6 થી 8  Download here

સત્ર-1 વિજ્ઞાન સજ્જતા ધોરણ 6 થી 8 Download here     

જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા

એસ.એસ.એ. મહેસાણા

ધોરણ 6 થી 8 નાં બાળકો માટે ખૂબ સરસ વિજ્ઞાન અને ટેકનોલોજીનું સાહિત્ય...

બાળકો માટે વૈકલ્પિક પ્રકારની પ્રશ્નાવલી...

CET કોમન એન્ટ્રેસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા – 2023-24) ધોરણ ૬

 ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો...

જાહેરનામું વાંચવા માટે અહીં ક્લિક કરો...

કોમન એન્ટ્રેસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા – 2023-24) ધોરણ ૬

રાજ્ય સરકરની વિવિધ યોજના અંતર્ગત વિવિધ શાળાઓમાં ધોરણ ૬ માં  પ્રવેશ મેળવવા માટે  કોમન એન્ટ્રેસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા – 2023-24)નું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ નિર્ભર શાળાઓના (લાગુ પડતા ધારાધોરણ મુજબ) વિદ્યાર્થીઓને  ભાગ લેવા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ છે. 

જેમા વિદ્યાર્થીઓ જે શાળામાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપવા ઈચ્છે છે તે શાળા ફરજીયાત પસંદ કરવાની રહેશે.


જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કુલ્સ

જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કુલ્સ

જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ

મોડેલ સ્કુલ્સ

*રક્ષાશક્તિ સ્કુલ્સ

 ઉપરોક્ત શાળાઓ પૈકી લાગુ પડતા ધારાધોરણ મુજબ વિદ્યાર્થી જે શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તે પૈકી એક અથવા એકથી વધુ શાળાઓ પસંદ કરી શકે છે.


જે વિદ્યાર્થીઓના ફોર્મમાં શાળા પસંદ કરેલ નહીં હોય તે ફોર્મ સબમિટ થઈ શકશે નહીં. આ માહિતી શાળાઓ સુધી સત્વરે પહોંચાડશો.

સમન્વય સાંસ્કૃતિક કાર્યક્રમ પાલીતાણા

 સમન્વય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા અહીં ક્લિક કરો 



પાલીતાણા શહેરની 10 સરકારી પ્રાથમિક શાળાનો સમન્વય થઈને બન્યો "સમન્વય સાંસ્કૃતિક કાર્યક્રમ". આ કાર્યક્રમમાં પાલીતાણા શહેરની  10 શાળાનાં આચાર્ય, શિક્ષકો અને બાળકો તથા વિજયસિંહ ચૌહાણ ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના કૉ.ઓપ. સદસ્યનાં સહિયારા પ્રયત્નથી એક જોરદાર કાર્યક્રમનું આયોજન થયું.

1. શ્રી સ્વામી વિવેકાનંદ કે. વ. શાળા

2. શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા

3. શ્રી માનસિંહજી પ્રાથમિક શાળા

4. શ્રી તળાવ પ્રાથમિક શાળા

5. શ્રી ભીલવાસ પ્રાથમિક શાળા

6. શ્રી ગણેશનગર પ્રાથમિક શાળા

7. શ્રી ગાયત્રી મંદિર કે. વ. શાળા

8. શ્રી ગુજરાતી પ્રાથમિક શાળા

9. શ્રી ગાયત્રી મંદિર પ્લોટ વિસ્તાર પ્રાથમિક શાળા

10. શ્રી વણકરવાસ પ્રાથમિક શાળા

ઉપરોક્ત 10 શાળાનાં બાળકોનાં સમન્વયથી 10 કૃતિનું નિર્માણ દરેક શાળાનાં શિક્ષક મિત્રો દ્વારા કરાવવામાં આવ્યું.

24.03.2023 નાં રાત્રે 8:00 કલાકે રાત્રી કાર્યક્રમમાં મહેમાનો, વાલીઓ અને વિશાળ મેદાનીની હાજરીમાં કાર્યક્રમની રજુઆત કરવામાં આવી અને જોરદાર પરફોર્મન્સ બાળકો દ્વારા રજુ થયું.

વિકિયા વાવ - બરડા ડુંગર

 વિકિયા વાવ









વિકિયા વાવ – ધૂમલી
સ્થાનઃ પોરબંદરથી ભાણવડ જવાના રસ્તા ઉપર ઢેબર ગામ પાસે ધૂમલી ગામની સીમમાં બરડાના ડુંગરની તળેટીમાં આ વાવ આવેલી છે, જે વિકિયાની વાવ તરીકે જાણીતી છે. કાઠિયાવાડના જામનગર જિલ્લામાં રહેલી આ વાવ તેના બાંધકામની દષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ સૌરાષ્ટ્ર વિસ્તારના જેઠવા વંશ સૌથી જૂનો રાજવંશ ગણાય છે. જેઠવાઓનું બરડા વિસ્તારમાં આધિપત્ય રહ્યું હતું. જેઠવાઓ સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યા અને જેઠવા તરીકે કઈ રીતે ઓળખાયા એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. તેઓ જ્યાં રાજ્ય કરતા હતા તે દેશ દસમી સદીની મધ્યમાં જ્યેષ્ઠુકદેશ તરીકે ઓળખાતો હતો. કેટલાક ઇતિહાસકાર તેમને જાટ તરીકે ઓળખે છે, જ્યારે ઘણા તેમને હૂણ લોકોની ‘યેથા’ શાખામાંથી ઊતરી આવેલા માને છે. ડો. અલ્તેકર નામના ઇતિહાસકાર એમને સૈન્ધવો (સિંધ દેશ)ના વંશજો ગમીને સૈન્ધવોના પૂર્વજ જયથમ (મહાભારત) ઉપરથી જેઠવા તરીકે ઓળખાયા હોવાનું માને છે. શરૂઆતમાં જેઠવાઓ શ્રીનગર (પોરબંદર પાસે)માં રહીને રાજ્ય કરતા હતા જે અત્યારે દરિયાકિનારે આવેલું નાનું ગામ છે. નવમી સદીના અંતમાં એમણે એમની રાજધાની શ્રીનગરથી ધૂમલીમાં ફેરવી. ઈ. સ. 1392 સુધી એટલે કે લગભગ 500 વર્ષ સુધી, એ રાજધાની ધૂમલીમાં રહી. જોકે પછી તો રાજધાની રાણપુર, છાયો, પોરબંદર એમ ફેરવવામાં આવી.
નાગજી નામના રાજાએ એના પુત્ર વિકિયાજીને ધૂમલીનું રાજ્ય સોંપી પોતે બીજા પુત્ર નાગાર્જુન સાથે ઢાંકમાં જઈને રહ્યા. ઈ. સ. 1392 સુધી ધૂમલી રાજધાની રહી હતી.
         આ વિકિયા રાજાના નામ ઉપરથી ધૂમલી ગામની આ વાવનું નામ વિકિયા વાવ આપવામાં આવ્યું છે.
સ્થાપત્યઃ બરડા ડુંગરની તળેટીમાં ખુલ્લા મેદાનમાં રહેલી આ વાવ દૂરથી જોતાં કોઈ ભારેખમ વિશાળકાય બાંધકામ હોવાનું જણાવે છે, કારણ કે બહાર દેખાતું બાંધકામ ટૂંકા, પરંતુ પ્રમાણમાં ઘણા પહોળા થાંભલા ધરાવે છે. આ થાંભલાઓ વાવમાં બાંધેલા મંડપનો બહાર દેખાતો જમીન ઉપરનો ભાગ છે. વળી ઘણી જગ્યાએ થાંભલા ઉપરનું બાંધકામ પડી ગયેલું હોવાથી એકલા થાંભલા ઘણા ભારે દેખાય છે.
વાવના વિવિધ પ્રકારોમાં, આ વાવ નંદા પ્રકારની વાવમાં ગણાય છે, જેમાં વાવને ફક્ત એક જ પ્રવેશ તેમ જ સળંગ પગથિયાંઓમાં ત્રણ ફૂટ (મંડપ) ધરાવે છે. પ્રવેશથી કૂવા સુધીનાં પગથિયાંમાં વચ્ચે ત્રણ ફૂટ (મંડપ કે પહોળો ચોક) આવે છે, જે થાંભલાઓના ટેકાથી બંધાયેલો હોય છે અને આ થાંભલા પેવેલિયન કે મંડપના ટાવર તરીકે જમીનની બહાર સુધી આવતા હોય છે. અલગ અલગ ફૂટના થાંભલાઓ વચ્ચે કોઈ ફ્રેમવર્ક નથી. પ્રવેશથી કૂવાના સામા છેડા સુધીની નિસરણીની કુલ લંબાઈ 66 મીટર છે. પગથિયાની પહોળાઈ 4.5 મીટરની છે. આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં ખોદાયેલી છે, જેમાં પ્રવેશ પૂર્વમાં છે, જ્યારે કૂવો પશ્ચિમ દિશામાં છે.
વાવના પ્રવેશ ઉપરનો મંડપ તેમ જ સળંગ પગથિયાંના ત્રણ મંડપ ઉપર ટાવર જમીનની બહાર સુધી બાંધવામાં આવેલાં છે. કોઈ પેરામીટર બાંધકામ કૂવા આસપાસ કે પગથયિાંની બોર્ડર આસપાસ બાંધવામાં આવેલું નથી.
વાવના પ્રવેશથી નીચે ઊતરતાં પગથિયાંમાં આવતાં પહેલાં ફૂટ કે મંડપ વચ્ચે 16.2 મીટરનું અંતર છે. પહેલા ફૂટ અને બીજા ફૂટ વચ્ચે 14 મીટરનું, જ્યારે બીજા અને ત્રીજા ફૂટ વચ્ચે 13 મીટરનું અંતર છે. ટાવર અને પગથિયાંની બાજુની દીવાલો મોટા પથ્થરોથી ચણવામાં આવેલી છે.
ત્રણ મંડપ ટાવરમાંનું છેલ્લો ત્રીજો ટાવર જમીનથી પાંચ માળ નીચે સુધી બાંધવામાં આવેલો છે. પહેલો ટાવર જમીનથી બે માળ નીચે સુધી બંધાયેલો છે. દરેક ફૂટ 2.78 મીટર પહોળો એક ચોક ધરાવે છે. ટાવરમાં નીચે ઊતરવા સામસામે નાની નિસરણી બનાવવામાં આવેલી છે.
થાંભલાઓના નીચેના પહોળા ભાગમાં વિવિધ કોતરણીઓ જોવા મળે છે. બ્રેકેટ્સમાં પણ કોતરણી જોઈ શકાય છે. વિવિધ પ્રાણીઓ હરણ, ડુક્કર, હાથી જેવા કોતરવામાં આવેલાં છે.
ધૂમલીમાં આવેલા નવલખા મંદિરના જેવી જ કોતરણીઓ આ વાવમાં જોવા મળે છે, જે વાવનું બાંધકામ 11મી સદીના અંતમાં કે 12મી સદીની શરૂઆતનું સૂચન કરે છે.
(https://gujarattimesusa.com માંથી)

સંદર્ભ:-

1. gujarattimesusa.com

2. BRITISH LIBRARY ONLINE GALLERY, 


PRL VIKAS શિષ્યવૃત્તિની માહીતી

 PRL VIKAS શિષ્યવૃત્તિની માહીતી માટે અહીં ક્લિક કરો.  


પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.

PSE / SSE શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ શરુ

 શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ શરુ

જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક ધોરણ 6 મા કે ધોરણ 9 મા ભણતુ હોય તો શાળાએ જઈ  શિષ્યવૃતિ પરીક્ષાનુ ફોર્મ ભરો. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષાના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૬-૯-૨૦૨૨ છે. આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે. ફોર્મ ભરવા માટે ....

ફોર્મ ભરવા અને માહિતી માટે અહીં ક્લિક કરો


તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરવા વિનંતી.

નવલખા ટેમ્પલ ઘુમલી - બરડા ડુંગર Navlakha Temple Ghumali


Navlakha Temple - Ghumali

Video Click here
 







                ઘુમલીનું નવલખા મંદિર જેઠવા શાસકો દ્વારા ૧૧મી સદીમાં સૂર્ય દેવને સમર્પિત બનાવવામાં આવ્યું હતું અને તે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે. તે ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો ધરાવે છે, જે ૪૫.૭૨ x ૩૦.૪૮ મીટર છે. પૂર્વ દિશામાં તેની નજીક એક સુંદર પ્રવેશ કમાન અથવા કીર્તિ તોરણ હતું, જે હવે નષ્ટ પામ્યું છે. ગર્ભગૃહ આવૃત્ત પ્રદક્ષીણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ અને ત્રણ શૃંગાર ચોકીઓ ધરાવે છે. આજુબાજુ ચાલવાના માર્ગ પર ત્રણ ઝરુખાઓ જોવા મળે છે. મંડપને આધાર ૮ બાજુઓ વાળા સ્તંભો વડે મળે છે. નાનાં ખૂણાઓમાં શિલ્પો આવેલા છે. પ્રવેશદ્વાર બે માળનો છે. મંદિરની પાછળની બાજુએ સૂંઢ વડે યુદ્ધ કરતાં બે વિશાળ હાથીઓના શિલ્પો આવેલા છે. ભદ્ર ગવક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, પશ્ચિમમાં શિવ-પાર્વતી અને ઉત્તરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિઓ આવેલી છે .
નવલખા મંદિર નવ લાખના ખર્ચે બાંધવામાં આવ્યું તેથી તેનું નામ નવલખા પડ્યું છે. તે તેના સ્થાપત્ય અને આંતરિક શિલ્પોમાં સોમનાથ મંડ અને મોઢેરાના સૂર્ય મંદિરની બરોબરી કરે છે.[ આ મંદિર મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલીમાં (અથવા સોલંકી શૈલી) બાંધવામાં આવ્યું છે. જે હાથીઓના એક બીજામાં ઘૂસેલા ત્રણ દાંતના શિલ્પ પરથી જણાય છે અને તેને સોલંકી શૈલીના સ્થાપત્યનો ઉચ્ચ મધ્યાહ્ન માનવામાં આવે છે.
મુખ્ય મંદિરની બહાર એક ગણેશ મંદિર છે, જે ઘુમલી ગણેશ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર ૧૦મી સદીમાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.[૯]
મંદિરનો નાશ ૧૩૧૩માં જાડેજા જામ બારમાનીયાજી દ્વારા તેમના પિતા જાડેજા જામ ઊણાજીની હારનો બદલો (જે ૧૩૦૯માં જેઠવા શાસક રાણ ભાણજી વડે પરાજિત થયા હતા) લેવા ઘુમલી પર કરવામાં આવેલા આક્રમણ દરમિયાન કરવામાં આવ્યો હતો.

સોનકંસારી


 










સોનકાંસરી મંદિર એ ભગવાન શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે, જે ભારતના ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘુમલી ગામમાં આવેલું છે.  આ નવલખા મંદિરની દક્ષિણ પશ્ચિમ બાજુએ પહાડી શિખર પર આવેલું છે.
13મી સદીના અંતમાં શંખોદ્વાર બેટના શાસક દુદાંશી વાધેલને માત્ર 2 દાંતવાળી પુત્રીનો જન્મ થયો હતો.  એક જ્યોતિષીએ આગાહી કરી હતી કે તે પરિવાર માટે ખરાબ નસીબ લાવશે.  પરિવારે બાળકીને લાકડાની પેટીમાં મૂકીને દરિયામાં ફેંકી દેવાનું નક્કી કર્યું.  બાળક ધરાવતું લાકડાનું બોક્સ મિયાણી બંદરના કિનારે પહોંચ્યું જ્યાં એક કંસારાને તે મળ્યું.  કંસારા નિઃસંતાન હોવાથી તેણે તેને પોતાની પુત્રી તરીકે ઉછેર્યો.  તેણે તેનું નામ સોન રાખ્યું.  જ્યારે તે તરુણાવસ્થામાં પહોંચી ત્યારે તે ખૂબ જ સુંદર હતી.
મિયાણીના શાસક પ્રભાત ચાવડા તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ તેણીએ ના પાડી હતી.  કંસારો અને તેના પુત્રીએ શાસક તરફથી પ્રતિક્રિયાની અપેક્ષા રાખીને મિયાણી છોડી દીધુ.  બંને ઘુમાલીમાં સ્થળાંતર કરી ગયા.  ઘુમલી શાસક ભાણ જેઠવાના સાળાના પુત્ર રખાયત બાબરિયા સાથે સોને લગ્ન કરવાનું નક્કી કર્યું.  જ્યારે લગ્ન સમારોહ પૂરો થયો, ત્યારે ડાકુઓ આવ્યા અને લગ્ન સ્થળેથી ગાયો અને ઢોરની લૂંટ ચલાવી.  રખાયત ડાકુઓ સાથે લડવા ગયો હતો, પરંતુ તેમાં તે માર્યો ગયો હતો.  પુત્ર કંસારીએ સતી થવાનું નક્કી કર્યું.
ઘુમલી શાસક રાણા ભાણ જેઠવાએ સોન કંસારીને સતી ન થવાનો સંદેશો મોકલ્યો અને તેને તેની સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો.  તેણે રાણા ભાણ જેઠવા સાથે લગ્ન કરવાની ના પાડી.  સોન કંસારીએ ઘુમલીના બરડાઈ બ્રાહ્મણોનો આશ્રય લીધો.  ભાણ જેઠવાએ બરડાઈ બ્રાહ્મણોને સોન કંસારીને સોંપવાનો આદેશ આપ્યો પરંતુ બરડાઈ બ્રાહ્મણોએ ના પાડી.  ઘુમલી શાસક ભાણ જેઠવાએ 1315માં બરડાઈ બ્રાહ્મણો સામે સૈનિકો મોકલ્યા.  સોન કંસારીની રક્ષા માટે હજારો બ્રાહ્મણોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું.  સોન કંસારી સતી થઈ અને તેણે શ્રાપ આપ્યો, ઘુમાલીનો કાયમ માટે નાશ થશે.  સિંધના રાજકુમાર બામણિયોજીએ ઘુમાલી પર આક્રમણ કર્યું અને 1316 અંતમાં તેનો કાયમ માટે નાશ કર્યો.


Youtube